ઉત્તર-1 :યુજીસીની વખતોવખતની માર્ગદર્શિકા અનુસાર વિદ્યાપીઠમાં સમગ્ર અભ્યાસક્રમને સત્રમાં વહેંચવામાં આવ્યો છે અને સત્રદીઠ મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અભ્યાસની સત્ર (સેમેસ્ટર) પદ્ધતિ છે.
પ્રશ્ન-2 સત્રાંત પરીક્ષાઓ ક્યારે યોજાય છે?
ઉત્તર-2 :સત્રાંત પરીક્ષાઓ વર્ષમાં બે વખત યોજાય છે. એકી અંક (સત્ર-1,3,5)ના સત્રની પરીક્ષાઓ નવેમ્બરથી જાન્યુઆરી દરમ્યાન અને બેકી અંક (સત્ર-2,4,6)ના સત્રની પરીક્ષાઓ માર્ચ થી મે દરમ્યાન યોજવામાં આવે છે. દર વર્ષે વિદ્યાસભા દ્વારા મંજૂર કરવામાં આવેલું શૈક્ષણિક કેલેન્ડર વિદ્યાપીઠની વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે તેમાં સત્રાંત પરીક્ષાની તારીખો દર્શાવેલી હોય છે.
પ્રશ્ન-3 : નિયમિત પરીક્ષાઓ માટે કેવી રીતે અને ક્યારે અરજી કરવાની હોય છે.
ઉત્તર-3 : સત્રાંત પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીએ આવેદનપત્ર ભરવું જરૂરી છે. પરીક્ષા માટે આવેદનપત્ર ભરવાની તારીખ શૈક્ષણિક કેલેન્ડરમાં દર્શાવેલી હોય છે. શૈક્ષણિક કેલેન્ડર વિદ્યાપીઠની વેબસાઇટ ઉપર જોઇ શકાશે. પ્રથમ સત્રમાં પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થાય પછી આવેદનપત્ર ભરવા જણાવવામાં આવે છે. આવેદનપત્ર ઓનલાઇન ભરવાનું હોય છે. આવેદનપત્ર ભરવા અંગે સંબંધિત વિભાગ અથવા પરીક્ષા વિભાગનો સંપર્ક કરી શકો છે.
પ્રશ્ન-4 : Choice Based Credit System (CBCS)અંતર્ગત વિષય પસંદ કરવાનું આવશ્યક છે?CBCSની પરીક્ષા કેવી રીતે લેવાય છે?
ઉત્તર-4 :વિદ્યાર્થીએ પસંદ કરેલી મુખ્ય ધારાના વિષયો ઉપરાંત તે તેને મનપસંદ વિષયમાં અભ્યાસ કરી શકે તે માટે વિદ્યાપીઠના વિવિધ વિભાગો દ્વારા CBCS અંતર્ગત બે બે ક્રેડિટના 100થી વધુ પાઠ્યક્રમ આપવામાં આવે છે. બે સત્રના અભ્યાસક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીએ CBCS અંતર્ગત એક પાઠ્યક્રમ અને ચાર કે તેથી વધુ સત્રના અભ્યાસક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીએ તેના અભ્યાસકાળ દરમ્યાન CBCS અંતર્ગત બે પાઠ્યક્રમમાં ઉત્તીર્ણ થવાનું રહે છે. CBCS અંતર્ગત પાઠ્યક્રમ ઉત્તીર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીનું પરિણામ અનામત રહે છે. CBCS અંતર્ગત ચલાવાતા પાઠ્યક્રમની પરીક્ષાઓ સંબંધિત વિભાગ કે વિભાગના અધ્યાપક દ્વારા, સામાન્ય રીતે સત્રાંત પરીક્ષા પહેલા લેવામાં આવે છે.
પ્રશ્ન-5: રીપીટર વિદ્યાર્થીઓએ તેમના પરીક્ષા આવેદનપત્રો ક્યારે અને કેવી રીતે ભરવાના હોય છે?
ઉત્તર-5: નિયમિત વિદ્યાર્થીઓ જ્યારે સત્રાંત પરીક્ષા માટે આવેદનપત્ર ભરતા હોય ત્યારે જ રિપીટર વિદ્યાર્થીઓએ, જે વિષયમાં અનુત્તીર્ણ થયા હોય તે વિષયનું આવેદનપત્ર ભરવાનું હોય છે. જુદા જુદા સત્રની પરીક્ષા આપવા માટે અલગ અલગ આવેદનપત્ર ભરવાનું રહે છે. સત્રમાં અનુત્તીર્ણ થયા હોય અને વિદ્યાર્થી નિયમિત અભ્યાસમાં ન હોય તેવા વિદ્યાર્થીઓએ તેમના વિભાગ મારફતે શૈક્ષણિક કેલેન્ડરમાં દર્શાવેલી તારીખો દરમ્યાન આવેદનપત્ર ભરવાના રહે છે.
પ્રશ્ન-6 : પરીક્ષા આવેદનપત્રમાં વિદ્યાર્થીના નામમાં કે વિષયમાં ભૂલ હોય તો શું કરવું?
ઉત્તર-6 :શક્ય હોય તેટલા વહેલા પરીક્ષા વિભાગનો સંપર્ક કરવો. માર્કશીટ તૈયાર થયા પછી સુધારવા માટે અરજી કરશો તો તે માટે નિયત કરેલો દર ભરવાનો થશે.
પ્રશ્ન-7 :પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીએ પોતાનું ઓળખપત્ર સાથે રાખવું જરૂરી છે? ઓળખપત્ર ખોવાઇ ગયું હોય તો શું કરવું?
ઉત્તર-7 :સત્રાંત પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીએ પોતાનું ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. જો તેનું ઓળખપત્ર ખોવાઇ ગયું હોય તો વિભાગ/ સંકુલના કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે અને નિયત ફી ભરીને ડુપ્લિકેટ ઓળખપત્ર મેળવવાનું રહેશે.
પ્રશ્ન-8 : પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં કઇ લેખન સામગ્રી લઇ જઇ શકે?
ઉત્તર-8 : પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં નીચે દર્શાવેલી લેખન સામગ્રી લઇ જઇ શકશે.
(1) બોલ પોઇન્ટ પેન અથવા ઇન્ક પેન
(2) પેન્સિલ, ઇરેઝર
(3) સાદું કેલ્યુલેટર
(4) માપપટ્ટી
(5) લખવા માટે લખાણરહિતનું ક્લિપબોર્ડ
(6) જો પ્રશ્નપત્રમાં આકૃતિ દોરવાની થતી હોય તો પરિકર કોણમાપક (કંપાસપેટી) વગેરે
પ્રશ્ન-9 : પરીક્ષા દરમ્યાન કે પરીક્ષા અગાઉ વિદ્યાર્થીને અકસ્માત થાય અને તે જાતે ઉત્તર લખી શકે તેમ ન હોય તો લહિયા (Writer) ની વ્યવસ્થા મળે?
ઉત્તર-9 : પરીક્ષા દરમ્યાન કે પરીક્ષા અગાઉ વિદ્યાર્થીને અકસ્માત થાય અને તે જાતે ઉત્તર લખી શકે તેમ ન હોય તો તેણે લહિયાની વ્યવસ્થા મેળવવા માટે તબીબી પ્રમાણપત્ર સાથે સંકુલના સંયોજકશ્રી/ડીનશ્રી/પરીક્ષા વ્યવસ્થાપકશ્રીને મળવાનું રહેશે. વિદ્યાર્થી જે કક્ષામાં અભ્યાસ કરતો હોય તેથી ઉતરતી કક્ષાના વિદ્યાર્થીને લહિયા તરીકે રાખી શકશે. લહિયા તરીકે જે વિદ્યાર્થીની સેવા લેવાની હોય તેનું ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. આવા વિદ્યાર્થી માટે પરીક્ષા આપવા અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષાના નિર્ધારિત કરેલા સમય કરતા વધારાનો સમય મળી શકશે નહીં.
પ્રશ્ન-10 : પરીક્ષા દરમ્યાન ઉત્તરવહીના મથાળે લખવાની માહિતીમાં ભૂલ થઇ હોય કે સૂચનાના પાલનમાં ભૂલ થઇ હોય તો શું કરવું?
ઉત્તર-10 : વિદ્યાર્થીએ ગભરાવવાની જરૂર નથી. સંકુલ/વિભાગના પરીક્ષા વ્યવસ્થાપકને સાદા કાગળ ઉપર લખીને થયેલી ભૂલ બાબતે અરજી કરવાની રહેશે.
પ્રશ્ન-11 : પરીક્ષામાં ગેરવાજબી રીતરસમ એટલે શું?
ઉત્તર-11:નીચે દર્શાવેલી બાબતોને પરીક્ષા સંબંધી ગેરવાજબી રીત-રસમ તરીકે ગણાશે.
i.પરીક્ષાના સમયગાળા દરમ્યાન પરીક્ષા ખંડમાં કે પરીક્ષા ખંડની બહાર ઓસરી, શૌચાલય કે અન્ય કોઇપણ જગ્યાએ પરીક્ષાર્થી પાસે અનધિકૃતરીતે કાપલી, નોટબુક કે પુસ્તક કે તેનો ભાગ જોવા મળે જે સંબંધિત પાઠ્યક્રમની પરીક્ષાના વિષયવસ્તુ સાથે સંકળાયેલો હોય.
ii.પરીક્ષાર્થી પાસે અનધિકૃતરીતે સેલફોન, લેપટોપ કે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ગેઝેટ બંધ કે ચાલુ હાલતમાં જોવા મળે.
iii.પરીક્ષાર્થીના વસ્ત્રોમાં, પાકીટ કે પર્સમાં અથવા તો તેના શરીર ઉપર પરીક્ષાના વિષયવસ્તુ સંબંધિત લખાણ મળે.
iv.પ્રશ્નપત્રમાં પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નના જવાબ લખવામાં આવ્યા હોય.
v.પરીક્ષાર્થી અન્ય કોઇ પરીક્ષાર્થી સાથે ઉત્તરવહી, પ્રશ્નપત્ર કે અન્ય કોઇ લેખિત સામગ્રીની આપ લે કરતા જોવા મળે.
vi.પરીક્ષાર્થી અનધિકૃત સામગ્રી સાથે પકડાય પછી મળેલ અનધિકૃત સામગ્રીનો નાશ કરવાના ઉદ્દેશ્યથી તેને ગળી જવી કે તેને લઇને પરીક્ષા ખંડની બહાર ભાગી જવું.
vii.પરીક્ષા ખંડની દિવાલ પર, કે બ્લેકબોર્ડમાં પરીક્ષાર્થી દ્વારા પાઠ્યક્રમ સંબંધી લખાણ લખવામાં આવે.
viii.પરીક્ષાર્થી દ્વારા ઢાળિયા પર પાઠ્યક્રમ સંબંધી લખાણ લખવામાં આવે અથવા અગાઉથી ઢાળિયા પર લખાયેલ લખાણ બાબતે વર્ગ નિરીક્ષકને જાણ કરવામાં ન આવે.
ix.સુપરવાઇઝરની સંમતિ વિના અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કે ઇશારા કરતા જોવા મળે.
x.સુપરવાઇઝર કે પરીક્ષામાં રોકાયેલા અન્ય કોઇ સ્ટાફને તરફેણ માટે વિનંતી કરવા કે તે માટે અયોગ્ય રીતે મદદ માંગે.
xi.પરીક્ષાર્થી તેની ઉત્તરવહીમાં તેની ઓળખ છતી કરે તથા પોતાને ઉત્તીર્ણ કરવા વિનંતી કરે અને અથવા ઉત્તરવહી સાથે ચલણી નોટ બીડે કે અન્ય કોઇ પ્રલોભન આપે.
xii.સુપરવાઇઝર તથા અન્ય સ્ટાફ સાથે ગેરશિસ્ત આચરે, ધમકી આપે કે પ્રલોભન આપે.
પપ્રશ્ન-12 : સત્રાંત પરીક્ષામાં ગેરવાજબી રીતરસમ કરતા પકડાઇએ તો બાકીના વિષયની પરીક્ષા આપી શકાય?
ઉત્તર-12 :હા, પરીક્ષા આપી શકાય. પરંતુ જે સત્રાંત પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હોય તે સત્રની તમામ પરીક્ષાઓ રદ કરવા ઉપરાંત સજા કરવાની જોગવાઇ છે. તેથી તે વિદ્યાર્થીની બાકીના પ્રશ્નપત્રોની ઉત્તરવહીઓ, મૌખિક, પ્રાયોગિકના મૂલ્યાંકન અલગ કવરમાં રાખવામાં આવશે. પરીક્ષા શુદ્ધિ સમિતિના નિર્ણયને આધારે તેના મૂલ્યાંકન માટે નિર્ણય લેવામાં આવશે.
પ્રશ્ન-13 : પરીક્ષામાં ગેરવાજબી રીતરસમ આચરતા પકડાઇએ તો સજાની શી જોગવાઇ છે?
ઉત્તર-13 : જે પાઠ્યક્રમની સત્રાંત પરીક્ષામાં ગેરવાજબી રીત-રસમ કરતા માલૂમ પડે તો તે સત્રાંત પરીક્ષા રદ ગણવામાં આવશે. આવા વિદ્યાર્થીનો તપાસ નિબંધ રદ ગણાશે નહીં. આ ઉપરાંત વિદ્યાર્થીને પરીક્ષા શુદ્ધિ સમિતિ સમક્ષ રજૂઆત માટે તક આપવામાં આવશે. પરીક્ષા શુદ્ધિ સમિતિની ભલામણ અનુસાર બે વર્ષની સજા માટે વિદ્યાસભા/ કુલનાયકશ્રી નિર્ણય કરશે. સામાન્ય રીતે વિદ્યાર્થીને બે વર્ષની સજા કરવામાં આવે છે પરંતુ જો તે વિદ્યાર્થી વિદ્યાપીઠના ગ્રામ સેવા કેન્દ્રો –દેથલી, ભલાડા, ભારેલ, બોચાસણ કે અંભેટી મુકામે સેવા આપવાનું સ્વીકારે અને સંતોષજનક સેવાઓ આપે તો, કેન્દ્રના વડાના હકારાત્મક અહેવાલને આધારે બે વર્ષની સજા એક વર્ષમાં ફેરવવા વિદ્યાસભા નિર્ણય કરશે.
પ્રશ્ન-14 : પરીક્ષા શરૂ થયા પછી માલુમ પડે કે તેઓ જ્યાં બેઠા છે ત્યાં અન્ય કોઇએ લેખિત સામગ્રી નાખી છે અથવા અન્ય કોઇએ ઢાળીયા ઉપર લખાણ લખેલું છે તો શું કરવું?
ઉત્તર-14 : આવા કિસ્સામાં વર્ગ નિરીક્ષકનું તરત જ ધ્યાન દોરવાનું રહેશે. અન્યથા જે તે વિદ્યાર્થીની જવાબદારી બનશે.
પ્રશ્ન-15 : આંતરિક કસોટી- સૈદ્ધાંતિક કે પ્રાયોગિકમાં ગેરવાજબી રીતરસમ આચરનાર માટે શું જોગવાઇ છે?
ઉત્તર-15 : અભ્યાસક્રમના પ્રશ્નપત્રની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પૈકી જે પરીક્ષામાં ગેરવાજબી રીત-રસમ આચરતા વિદ્યાર્થી પકડાય તો તે પરીક્ષામાં તે અનુત્તીર્ણ ગણાશે. બાકીના પાઠ્યક્રમોની આંતરિક પરીક્ષા આપી શકશે. આ અંગેનો નિર્ણય જે તે સંકુલ/વિભાગના વડા કરશે
પ્રશ્ન-16 સત્રાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટેના ધોરણો કયા છે?
ઉત્તર-16 : અભ્યાસક્રમના પ્રશ્નપત્રમાં ઉત્તીર્ણ થવા માટે લઘુતમ 40 ટકા ગુણ મેળવવાના રહેશે અને સમગ્ર અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થવા માટે 50 ટકા ગુણ (10 બિંદુ મૂલ્યાંકન પદ્ધતિમાં 5.0 CGPA) મેળવવાના રહેશે. એટલે કે એક વર્ષના અભ્યાસક્રમમાં સત્ર-2ના અંતે, બે વર્ષના અભ્યાસક્રમમાં સત્ર-4ના અંતે, ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં સત્ર-6ના અંતે અને ચાર વર્ષના અભ્યાસક્રમમાં સત્ર-8ના અંતે કુલ 50 ટકા ગુણ (10 બિંદુ મૂલ્યાંકન પદ્ધતિમાં 5.0 CGPA) મેળવવાના રહેશે. 50 ટકા કરતા ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી અનુત્તીર્ણ ગણાશે. આવા કિસ્સામાં વિદ્યાર્થી અભ્યાસના સત્રોમાંથી એક, બે કે વધુ પ્રશ્નપત્રો પસંદ કરી તેની પુનઃ પરીક્ષા આપીને અંતિમ પરિણામમાં 50 ટકા કે તેથી વધુ ગુણ (10 બિંદુ મૂલ્યાંકન પદ્ધતિમાં 5.0 CGPA કે તેથી વધુ ગુણ) મેળવવા તક આપવામાં આવશે. પૂર્તતા થયે વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
પ્રશ્ન-17 : સત્રાંત પરીક્ષા-સૈદ્ધાંતિક કેટલા કલાકની હશે?
ઉત્તર-17 : કુલ 60 ગુણની સૈદ્ધાંતિક પરીક્ષા માટે અઢી કલાકનો સમય આપવામાં આવશે.
પ્રશ્ન-18 : આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર-18 : આંતરિક મૂલ્યાંકનનો ભારાંક 40 ટકા અને બાહ્ય મૂલ્યાંકન (સત્રાંત પરીક્ષા)નો ભારાંક 60 ટકા છે.
પ્રશ્ન-19 : સમૂહજીવનમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે? સમૂહજીવનનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે? તથા પરિણામ કેવી રીતે આપવામાં આવશે?
ઉત્તર-19 : સમૂહજીવનમાં ઉત્તીર્ણ થવું ફરજિયાત છે. સમૂહજીવનનું મૂલ્યાંકન વિભાગના અધ્યાપકો, ગૃહપતિ વગેરે દ્વારા કરવામાં આવશે.સમૂહજીવનના મૂલ્યાંકનમાંA,B,C લેટર ગ્રેડ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ સમૂહજીવનમાં ઓછામાં ઓછો C ગ્રેડ મળવવાનો રહેશે. C ગ્રેડથી ઓછો ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી અનુત્તીર્ણ ગણાશે.
પ્રશ્ન-20 સત્ર બઢતી માટેના ધોરણો કયા છે?
ઉત્તર-20 : સત્ર બઢતીના ધોરણો નીચે મુજબ છે.
(1) જે વિદ્યાર્થીએ સત્ર-1માં પ્રવેશ મેળવ્યો હોય અને જો તે તેની સત્રાંત પરીક્ષામાં અનુત્તીર્ણ થાય તો પણ તે સત્ર-2માં જોડાઇ શકશે અને બીજા સત્રના અંતે લેવાતી સત્ર-2ની પરીક્ષા ઉપરાંત સત્ર-1ની પરીક્ષામાં પણ બેસી શકશે.
(2) જે વિદ્યાર્થીએ સત્ર-1ના બધા જ પાઠ્યક્રમો ઉત્તીર્ણ કર્યા હોય અને બીજા સત્રની સત્રાંત પરીક્ષા માટે નોંધણી કરાવી હોય તે જ વિદ્યાર્થી ત્રીજા સત્રમાં અભ્યાસ માટે લાયક ગણાશે.
(3) જે વિદ્યાર્થીએ સત્ર-2ના બધા જ પાઠ્યક્રમો ઉત્તીર્ણ કર્યા હોય અને ત્રીજા સત્રની સત્રાંત પરીક્ષા માટે નોંધણી કરાવી હોય તે જ વિદ્યાર્થી ચોથા સત્રમાં અભ્યાસ માટે લાયક ગણાશે.
(4) જે વિદ્યાર્થીએ સત્ર-3ના બધા જ પાઠ્યક્રમો ઉત્તીર્ણ કર્યા હોય અને ચોથા સત્રની સત્રાંત પરીક્ષા માટે નોંધણી કરાવી હોય તે જ વિદ્યાર્થી પાંચમા સત્રમાં અભ્યાસ માટે લાયક ગણાશે.
(5) જે વિદ્યાર્થીએ સત્ર-4ના બધા જ પાઠ્યક્રમો ઉત્તીર્ણ કર્યા હોય અને પાંચમા સત્રની સત્રાંત પરીક્ષા માટે નોંધણી કરાવી હોય તે જ વિદ્યાર્થી છઠ્ઠા સત્રમાં અભ્યાસ માટે લાયક ગણાશે.
(6) વિદ્યાર્થી જે સત્રમાં અભ્યાસ કરતો હોય તેની અગાઉના સત્રના બધા પાઠ્યક્રમોમાં ઉત્તીર્ણ ન થઇ શકે તો તે ત્યારપછીના સત્રમાં બઢતી મેળવી શકશે નહીં. ઉદાહરણ તરીકે સત્ર-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સત્ર-1ના બધા જ પાઠ્યક્રમમાં ઉત્તીર્ણ ન થઇ શકે તો તે સત્ર-3માં સત્ર બઢતી લાયક ગણાશે નહીં.
પ્રશ્ન-21: સત્રાંત પરીક્ષામાં પરિણામ આપવા માટેના ધોરણો કયા છે?
ઉત્તર-21 : યુજીસીનાધોરણોનેધ્યાનમાંરાખીનેદરેકપાઠ્યક્રમનેક્રેડિટમાંભારાંકિતકરવામાંઆવ્યોછે. પાઠ્યક્રમનાભારણનેઆધારેક્રેડિટનક્કીથાયછે. 1 ક્રેડિટએટલેસમગ્રસત્રદરમ્યાનઅઠવાડિયામાંએકકલાકપ્રત્યક્ષશિક્ષણકાર્યઅથવાબેકલાકપ્રાયોગિકકેક્ષેત્રકાર્ય. (સત્રના 15 અઠવાડિયાશૈક્ષણિકકાર્યથાયછેતેમમાનીને)
1) આંતરિક તથા બાહ્ય પરીક્ષાના કુલ 100 ગુણભારમાંથી પ્રાપ્ત કરેલા ગુણને 10 વડે ભાગવાથી જે મળે તે આંક પાઠ્યક્રમ(પ્રશ્નપત્ર)નો પ્રગતિઆંક ગણાશે. એટલે કે...
પાઠ્યક્રમનો પ્રગતિ આંક=આતરિક ગુણ+બાહ્યગુણમાંથી મેળવેલા કુલ ગુણ ÷ 10
ઉદા. તરીકે કોઇ પાઠ્યક્રમમાં 100માંથી 60 ગુણ મેળવે તો
પાઠ્યક્રમનો પ્રગતિ આંક = 60 ÷ 10 = 6.0 ગણાશે.
2) પાઠ્યક્રમના પ્રગતિઆંકને તે પાઠ્યક્રમની ક્રેડિટ સાથે ગુણવાથી તે પાઠ્યક્રમ માટે ક્રેડિટ પ્રગતિઆંક મળશે. એટલે કે...
પાઠ્યક્રમનો ક્રેડિટ પ્રગતિઆંક = પાઠ્યક્રમનો પ્રગતિઆંક X તે પાઠ્યક્રમની ક્રેડિટ
ઉપરોક્ત ઉદાહરણમાં જો પાઠ્યક્રમની ક્રેડિટ 4 હોય તો,
પાઠ્યક્રમનો ક્રેડિટ પ્રગતિઆંક(GP)=6.0 X 4 = 24.0
3) દરેક અભ્યાસક્રમ (પ્રોગ્રામ)માં આવતા પાઠ્યક્રમના સૈદ્ધાંતિક, પ્રાયોગિક તથા શોધનિબંધ/પ્રોજેક્ટનું આંતરિક તથા સત્રાંત મૂલ્યાંકન ઉપરોક્ત પદ્ધતિ અનુસાર કરવાનું રહેશે.
4) કોઇપણ સત્રમાં આવતા દરેક પાઠ્યક્રમ, શોધનિબંધ, પ્રોજેક્ટ કે પ્રાયોગિક વગેરે માટે પ્રાપ્ત કરેલા કુલ ક્રેડિટ પ્રગતિઆંકને સત્રની કુલ ક્રેડિટ વડે ભાગવાથી જે તે સત્રનો ક્રેડિટ પ્રગતિઆંક મળશે. એટલે કે...
સત્રનો ક્રેડિટ પ્રગતિ આંક (SGPA)= જે તે સત્રના સમગ્ર પાઠ્યક્રમોનો કુલ ક્રેડિટ પ્રગતિ આંક ÷ તે સત્રની કુલ ક્રેડિટ.
ઉદા. તરીકે – કોઇ એક સત્રમાં પાંચ પાઠયક્રમ હોય અને તેની કુલ ક્રેડિટ 20 હોય તથા પાઠ્યક્રમના ક્રેડિટ પ્રગતિ આંકનો સરવાળો 175 થતો હોય તો-
સત્રનો ક્રેડિટ પ્રગતિઆંક = 175 ÷ 20 =8.75
5) એકંદર ક્રેડિટ પ્રગતિ આંક (CGPA)- જેમ જેમ સત્ર ઉમેરાય તેમ તેમ એકંદર ક્રેડિટ પ્રગતિઆંક નીચે પ્રમાણે ગણવામાં આવશે.
એકંદર ક્રેડિટ પ્રગતિઆંક=
સત્ર-1નો કુલ ક્રેડિટ પ્રગતિઆંક+સત્ર-2નો કુલ ક્રેડિટ પ્રગતિ આંક...
સત્ર-1ની કુલ ક્રેડિટ+ સત્ર-2ની કુલ ક્રેડિટ....
ઉદા. તરીકે- એક વર્ષના બે સત્રના અભ્યાસક્રમમાં પ્રથમ સત્રમાં બધા જ પાઠ્યક્રમની કુલ ક્રેડિટ 20 અને બીજા સત્રમાં 22 કુલ42 ક્રેડિટ હોય અને ઉપર મુજબ દર્શાવેલી ગણતરી અનુસાર વિદ્યાર્થીએ પ્રથમ સત્રમાં 175 અને બીજા સત્રમાં 185 ક્રેડિટ પ્રગતિ આંક મેળવેલા હોય તો
એકંદર ક્રેડિટ પ્રગતિઆંક=
175+185
=8.57
20+22
પ્રશ્ન-22 : સત્રાંત પરીક્ષામાં બેસવા માટે કેટલા ટકા હાજરીની આવશ્યકતા છે?
ઉત્તર-22 : સત્રાંત પરીક્ષામાં બેસવા માટે જે તે સત્રના કુલ કામકાજના દિવસો પૈકી 80 ટકા હાજરી હોય તે આવશ્યક છે.
પ્રશ્ન-23 : હું આંતરિક કસોટીમાં અનુત્તીર્ણ છું. શું સત્રાંત પરીક્ષામાં બેસી શકું?
ઉત્તર-23 : ના, જે વિદ્યાર્થીઓ આંતરિક કસોટીમાં અનુત્તીર્ણ હોય તે સત્રાંત પરીક્ષામાં બેસી શકે નહીં.
પ્રશ્ન-24 : સત્રાંત પરીક્ષામાં કૃપા ગુણ આપવાની કોઇ જોગવાઇ છે?
ઉત્તર-24 : સત્રાંત પરીક્ષામાં જો કોઇ વિદ્યાર્થી પાંચ ગુણ કે તેથી ઓછા ગુણ માટે અનુત્તીર્ણ થતો હશે તો તે વિદ્યાર્થીને પાઠ્યક્રમની સંખ્યાને ધ્યાનમાં લીધા સિવાય મહત્તમ પાંચ ગુણ સુધી કૃપા ગુણ આપવામાં આવે છે. આ સિવાય વર્ગ મેળવવા માટે કૃપા ગુણ આપવામાં આવતા નથી.
પ્રશ્ન-25 : ફેરતપાસ (Reassessment)તથા ફેરગણતરી (Retotalling) માટે શું જોગવાઇ છે?
ઉત્તર-25 : ફેરતપાસ, ફેરગણતરી માટેની જોગવાઇ
1) ફક્ત સત્રાંત/બાહ્ય પરીક્ષામાં જ સૈદ્ધાંતિક (થિયરી)ના પ્રશ્નપત્રમાં ફેરતપાસ/ફેરગણતરીની તક મળશે. આંતરિક કસોટી, શોધનિબંધ/તપાસ નિબંધ, ક્ષેત્રકાર્ય, પદયાત્રા, પ્રાયોગિક, ઉદ્યોગ, સમૂહજીવન વગેરેમાં ફેરતપાસ/ફેરગણતરીની તક મળશે નહીં. જો કોઇ કારણોસર ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હશે તો તેને માટે ફેરતપાસ થઇ શકશે નહીં.
2) અભ્યાસના બધાં જ સત્રોમાં સૈદ્ધાંતિક પાઠ્યક્રમોની ફેરતપાસ/ફેરગણતરી થઇ શકશે.
3) સત્રાંત/બાહ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તેમાં ફેરતપાસ/ફેરગણતરી માટેની તારીખ જણાવવામાં આવે છે વિદ્યાર્થીએ જણાવેલી તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીએ નિયત કરેલી ફી ભરવાની રહેશે.
4) જે પરીક્ષાર્થીનું પરિણામ અનામત રાખવામાં આવ્યું હોય તે પરીક્ષાર્થી પરીક્ષાવિભાગમાં રૂબરૂ આવીને તેના ગુણ જાણી શકશે. ફેરતપાસ/ફેરગણતરીની જણાવેલી તારીખ વીતી જાય પછી વિદ્યાર્થી ફેરતપાસ/ફેરગણતરી માટે અરજી કરી શકશે નહીં.
5) ફેરગણતરી (ગુણની આંકડાકીય તપાસ)નું કાર્ય પરીક્ષા વિભાગ દ્વારા કરવામાં આવશે.
6) ફેરતપાસ (રીએસેસમેન્ટ) માટેઅન્યપરીક્ષકનેનિમણૂકઆપીનેમૂલ્યાંકનકરાવવામાંઆવશે. પ્રથમપરીક્ષકઅનેબીજાપરીક્ષકેઆપેલાગુણનાતફાવતનીટકાવારીજો 20 કેતેથીઓછીહશેતોજેપરીક્ષકનુંમૂલ્યાંકનઉંચુંહશેતેમાન્યગણાશે.
જો પ્રથમપરીક્ષકઅનેબીજાપરીક્ષકેઆપેલાગુણના તફાવતની ટકાવારી જો 20 થી વધુ પરંતુ 40 સુધી હશે તો બંને પરીક્ષ કે આપેલા ગુણની સરેરાશ લેવામાં આવશે.
પ્રથમ પરીક્ષક અને બીજા પરીક્ષકે આપેલા ગુણના તફાવતની ટકાવારી જો 40 થી વધુ હશે તો ત્રીજા પરીક્ષકને ઉત્તરવહી મૂલ્યાંકન માટે મોકલી આપવામાં આવશે.ત્રીજા પરીક્ષક જે ગુણ આપે તે પછી ત્રણેય પરીક્ષકોના મૂલ્યાંકનની સરખામણી કરવામાં આવશે. જે બે પરીક્ષકોનું મૂલ્યાંકન નજીક-નજીક હશે તે પૈકી જેમનું મૂલ્યાંકન ઊંચુ હશે તે માન્ય ગણવામાં આવશે.
પ્રશ્ન-26 : પરિણામ અનામત રાખવામાં આવ્યું હોય ત્યારે શું કરવું?
ઉત્તર-26 : જે પરીક્ષાર્થીનું પરિણામ અનામત રાખવામાં આવે તે પરીક્ષાર્થીને, પરીક્ષા વિભાગનો સંપર્ક કરવાથી અનામતના કારણની જાણ કરવામાં આવશે અને પરિણામ જાહેર થયાના 60 દિવસની સમય મર્યાદામાં પરીક્ષાર્થીએ અનામત માટેના કારણની પૂર્તતા કરવાની રહેશે અન્યથા તે પરીક્ષા રદ ગણવામાં આવશે.
અનુસ્નાતક કક્ષાએ પરીક્ષાર્થીએ રજૂ કરેલા લઘુ શોધ નિબંધમાં સુધારો કરવાનો હોય કે નવેસરથી રજૂ કરવાનો હોય તેવા સંજોગોમાં વિદ્યાર્થીનું પરિણામ અનામત રાખવાનું બને તો વિદ્યાર્થીએ વિભાગીય અધ્યક્ષ દ્વારા મૂલ્યાંકન સમિતિની ભલામણને આધારે આપવામાં આવેલા સમયગાળામાં પૂર્તતા કરવાની રહેશે અન્યથા તેની પરીક્ષા રદ કરવામાં આવશે.
પ્રશ્ન-27 : સત્રાંત પરીક્ષામાં પ્રયાસ (ટ્રાયલ) ગણવા માટે શું જોગવાઇ છે?
ઉત્તર-27 : ્રયાસ (ટ્રાયલ) માટેની જોગવાઇ-
1) જો વિદ્યાર્થીએ પરીક્ષા માટેનું આવેદનપત્ર ન ભર્યું હોય તો તેને પ્રયાસ ગણવામાં આવશે નહીં.
2) જો વિદ્યાર્થીએ પરીક્ષા માટેનું આવેદનપત્ર ભર્યું હોય અને પરીક્ષા શરૂ થતા પૂર્વે તે પરીક્ષામાં બેસવાના નથી તેવી લેખિત જાણ કરશે (ઇમેઇલથી પણ)તો તેને પ્રયાસ ગણવામાં આવશે નહીં.
3) ગેરવાજબી રીતરસમ આચરતા પકડાયેલા વિદ્યાર્થીની જો પરીક્ષા રદ ગણવામાં આવી હશે તો તે પરીક્ષાને તથા તેને જેટલી પરીક્ષામાં ન બેસવા માટેની સજા કરવામાં આવી હોય તે તમામ પરીક્ષાને પ્રયાસ ગણવામાં નહીં આવે.
4) જે વિદ્યાર્થીનું પરિણામ અનામત રાખવામાં આવ્યું હોય અને વિદ્યાર્થી તે કારણની પૂર્તતા ન કરી શકે તેને કારણે પરીક્ષા રદ ગણવામાં આવી હોય તો તેને પ્રયાસ ગણવામાં નહીં આવે.
5) પરીક્ષા દરમ્યાન કોઇ વિદ્યાર્થીને ગંભીર અકસ્માત થાય કે બીમારી આવે અને તબીબના પ્રમાણપત્રને આધારે પરીક્ષામાંથી બેસવા મુક્તિ આપવામાં આવી હોય તો તેને પ્રયાસ ગણવામાં આવશે નહીં. સામાન્ય તાવ કે બીમારીને કારણે વિદ્યાર્થી પરીક્ષા ન આપે તો તેને પ્રયાસ ગણાશે.
6) પરીક્ષાર્થી પરીક્ષા દરમ્યાન ચેપી રોગથી સંક્રમિત થયેલો જણાય અને તેને પરીક્ષામાં બેસવા પરવાનગી આપવાથી અન્યને ચેપ લાગવાની શક્યતા જણાતા પરીક્ષા વ્યવસ્થાપક દ્વારા તેને પરીક્ષા આપવા દેવા પરવાનગી ન આપવામાં આવે તો તેને પ્રયાસ ગણાશે નહીં.
7) જોવિદ્યાર્થી અંતિમ સત્રમાંપ્રથમપ્રયાસે ઉત્તીર્ણ થયો હોય તો તેને પ્રથમપ્રયાસે ઉત્તીર્ણ જાહેર કરવામાં આવશે.
પ્રશ્ન-28 : ડુપ્લિકેટ ગુણપત્ર, પદવી પ્રમાણપત્ર મેળવવા શું જોગવાઇ છે?
ઉત્તર-28 : ગુણપત્ર/ પદવી પ્રમાણપત્ર ખોવાઇ જાય, ફાટી જાય અથવા તો ખરાબ થઇ જાય તેવા સંજોગોમાં વિદ્યાર્થીની અરજીને આધારે ડુપ્લિકેટ ગુણપત્ર/ પદવી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ માટે અરજદારે નિર્ધારીત ફી સાથે અરજી કરવાની રહેશે. અરજી સાથે ગુણપત્ર/ પદવી પ્રમાણપત્ર ખોવાઇ ગયું છે/ફાટી ગયું છે/ખરાબ થઇ ગયું છે તે બાબતનું નક્કી કરેલી ફીના સ્ટેમ્પ પેપર ઉપર નમૂના મુજબ નોટરાઇઝ કરેલું એકરારનામું આપવાનું રહેશે. ડુપ્લિકેટ ગુણપત્ર/ પ્રમાણપત્ર ઉપર DUPLICATE સિક્કો લગાવવામાં આવશે.
પ્રશ્ન-29 : ટ્રાન્સક્રિપ્ટ શું છે? તે કેવી રીતે મેળવી શકાય?
ઉત્તર-29 : ટ્રાન્સક્રિપ્ટમાં વિદ્યાર્થીએ મેળવેલ વિષયવાર ગુણ, વિષયવાર ક્રેડિટ તથા જે તે વિષય માટે સત્રમાં કેટલા કલાક અભ્યાસ કર્યો તેની વિગત આપવામાં આવે છે. ટ્રાન્સક્રિપ્ટ મેળવવા માટે વિદ્યાર્થીએ નિયત કરેલી ફી સાથે પોતાના સંબંધિત વિભાગમાં અરજી કરવાની રહેશે.
પ્રશ્ન-30 : વિદ્યાપીઠમાં પદવીદાન સમારંભ ક્યારે યોજવામાં આવે છે?
ઉત્તર-30 : સામાન્યરીતે વિદ્યાપીઠના સ્થાપના દિવસ 18મી ઓક્ટોબરે પદવીદાન સમારંભ યોજવામાં આવે છે.
પ્રશ્ન-31 : મને ઘરે બેઠા પદવી પ્રાપ્ત થઇ શકે?
ઉત્તર-31 : ના, વિદ્યાપીઠમાં અનુપસ્થિતિમાં (in absentia) પદવી આપવામાં આવતી નથી. જો કોઇ ઉમેદવાર વિદેશ ગયા હોય તો જરૂરી પુરાવા (પાસપોર્ટ, વિઝાની નકલ, વગેરે) રજૂ કર્યેથી તેમના વાલીને પદવીદાન સમારંભ પૂરો થયા પછી પદવી પ્રમાણપત્ર આપવામાં આવશે. જો કે આ માટે ઉમેદવારે પદવી મેળવવા માટે સમયમર્યાદામાં અરજી કરેલી હોવી જરૂરી છે. જો કે પરપ્રાંતના વિદ્યાર્થીઓ માટે કુલનાયકશ્રી નિર્ણય કરશે.
પ્રશ્ન-32 : પદવીદાન સમારંભ દરમ્યાન કયો ગણવેશ પહેરવો પડે?
ઉત્તર-32 : ભાઇઓએ સુતરાઉ ખાદીનો સફેદ લેંઘો-ઝભ્ભો તથા ગાંધી ટોપી અને બહેનોએ સુતરાઉ ખાદીની સફેદ પ્લેઇન સાડી અને સફેદ બ્લાઉઝ પહેરવાના રહેશે
પ્રશ્ન-33 : કોઇ વિદ્યાર્થીએ પદવી માટે અરજીપત્ર ભર્યું હોય અને કોઇ કારણસર હાજર ન રહી શકે તો શું થાય?
ઉત્તર-33 : વિદ્યાર્થીએ પદવી મેળવવા માટે સમયમર્યાદામાં અરજી કરી હોય પરંતુ અનિવાર્ય કારણોસર પદવી મેળવવા હાજર ન રહી શક્યા હોય અને તેઓ પદવી મેળવવા ઇચ્છતા હોય તો ત્યાર પછી યોજાતા પદવીદાન સમારંભમાં હાજર રહીને પદવી મેળવી શકશે. જો તેઓ અગાઉ પદવી મેળવવા માટેના અરજીપત્ર સાથે ભરેલી ફીની પહોંચ રજૂ કરશે તો તેમને તેટલી ફી મજરે આપવામાં આવશે. પરંતુ નવેસરથી પદવી મેળવવા નોંધણી કરાવવા માટે નક્કી કરેલી નોંધણી ફી તથા પદવી મેળવવા માટેની ફીની રકમમાં ફેરફાર થયો હોય તો તફાવતની રકમ ભરવાની રહેશે.
પ્રશ્ન-34 : વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને કયા કયા પ્રકારના પુરસ્કાર આપવામાં આવે છે?
ઉત્તર-34 : વિદ્યાપીઠમાં યોજાતા પદવીદાન સમારંભ દરમ્યાન જ વિદ્યાર્થીઓને પારિતોષિક આપવામાં આવે છે. દાતા તરફથી મળેલા દાનને આધારે ચાર પ્રકારના પારિતોષિકોઆપવામાં આવે છે. (1) સુવર્ણચંદ્ર, (2) રજતચંદ્રક (3) તામ્રપત્ર અને (4) રોકડ પુરસ્કાર વિવિધ પારિતોષિકની યાદી વિદ્યાપીઠની વેબસાઇટ ઉપર જોવા મળશે.
વિદ્યાર્થીઓને નીચે જણાવ્યા અનુસાર અલગ અલગ શ્રેણીમાં પારિતોષિક આપવામાં આવે છે. 1) સમગ્ર પરીક્ષામાં પ્રથમ આવનાર 2) કોઇ અભ્યાસક્રમમાં જે તે પાઠ્યક્રમમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર 3) સંકુલ અથવા વિભાગમાં છાત્રાલય જીવન/ સમૂહજીવનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 4) કોઇ અભ્યાસક્રમમાં બહેનોમાંથી પ્રથમ આવેલ વિદ્યાર્થિની.
વિદ્યાર્થીઓને નીચે જણાવ્યા અનુસાર અલગ અલગ શ્રેણીમાં પારિતોષિક આપવામાં આવે છે. 1) સમગ્ર પરીક્ષામાં પ્રથમ આવનાર 2) કોઇ અભ્યાસક્રમમાં જે તે પાઠ્યક્રમમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર 3) સંકુલ અથવા વિભાગમાં છાત્રાલય જીવન/ સમૂહજીવનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 4) કોઇ અભ્યાસક્રમમાં બહેનોમાંથી પ્રથમ આવેલ વિદ્યાર્થિની.
પ્રશ્ન-35 : પુરસ્કાર (પારિતોષિક) આપવા માટેના ધોરણો કયા છે?
ઉત્તર-35 : અનુસ્નાતક, સ્નાતક તથા પી.જી.ડિપ્લોમાકક્ષાના જે અભ્યાસક્રમમાં તામ્રપત્ર આપવાની જોગવાઇ છે તે
અભ્યાસક્રમમાં પાંચ કે તેથી વધુ વિદ્યાર્થી ઓ સંબંધિત અભ્યાસક્રમની પરીક્ષામાં, બધા પાઠ્યક્રમની પરીક્ષા આપવા બેઠેલા હોવા આવશ્યક છે. રજતચંદ્રક માટે 10 કે તેથી વધુ વિદ્યાર્થીઓ અને સુવર્ણચંદ્ર માટે 20 કે તેથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હોય તે આવશ્યકછે. એમ.ફિલ., પીએચ.ડી. માટેઆપવા માં આવતા પારિતોષિક માટે આજોગવાઇલાગુપડતીનથી. ઉપરાંત જેટલાસત્રનોઅભ્યાસક્રમહોયતેટલાજસત્રમાંઅભ્યાસક્રમઅવકાશ (ગેપ) વિનાપૂરોકરેલોહોવોજોઇએ. જો કે
અભ્યાસક્રમ દરમ્યાન વિદ્યાર્થીએઉત્તીર્ણ/અનુત્તીર્ણ થયેલા વિષયમાં ફેરતપાસ કરાવી હોય અને ફેરત પાસને અંતે આવેલા પરિણામને આધારે પારિતોષિક મેળવવાને પાત્ર થતા હોય તો તેમને તે આપવામાં આવશે.
પારિતોષિક માટેના ધોરણો નીચે મુજબ છે.